ગુજરાતના મુખ્યધારાના પ્રેસ માધ્યમ માથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો ભયંકર પર્દાફાશ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના એક કમલેશ ઠુમ્મર નામના દર્દીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી. બનાવ એવો છે કે જૂનાગઢમાં ખલીલપુર રોડ પર રહેતા કમેશભાઇ ઠુમ્મર મોતિયો ઉતરાવવા માટે રાજકોટ ખાતે આવેલી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેમને હોસ્પિટલના જનરલ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ વોર્ડમાં 300થી વધુ દર્દીઓ પણ હતા.
આ દરમિયાન રાત્રે 11 વાગ્યાની આસપાસ એક યુવક આવીને બધાને વારાફરતી ઉઠાડીને મોબાઇલ નંબર માંગવા લાગ્યો હતો. કમલેશભાઈ ને લાગ્યું કે આ કોઇ હોસ્પિટલનો સ્ટાફ હશે. પરંતુ થોડીવાર પછી એમના નંબર પર ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો મેસેજ આવતાં એમને ખબર પડી. આ દરમિયાન આ યુવક બીજા દર્દીને ઉઠાડીને નંબર પૂછી રહ્યો હતો ત્યારે કમલેશભાઇએ ચૂપચાપ છાનામાન ખબર ન પડે એ રીતે વીડિયો બનાવી લીધો હતો. આ યુવકે એક પછી એક 200થી વધુ દર્દીઓને ભાજપના સભ્ય બનાવ્યાની વાત જાણવા મળે છે.
સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતા કેટલી છે તેની વાસ્તવિકતા છતી કરી દીધી
આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપને આંખે પાણી આવ્યું છે. મોટા ઉપાડે બે કરોડનો ટાર્ગેટ અપાયો છે પણ આ સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતા કેટલી છે તેની વાસ્તવિકતા છતી કરી દીધી છે. સભ્ય નોંધણીને મોળો પ્રતિસાદ મળ્યો છે. . ખુદ ભાજપમાં જ ગણગણાટ છે કે, ભાજપને ભરતી મેળો પણ નડ્યો છે કેમકે, સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો હાંસિયામાં ધકેલાયા છે. પક્ષપલટુઓએ સરકાર અને કમલમમાં અડિંગો જમાવ્યો છે. અસંતોષ-જૂથવાદની આગે ભાજપને ભરડામાં લીધો છે. અને ભાજપના ગ્રાસ લેવલના કાર્યકર્તાઓ ખૂબ નારાજ હોય તેવો માહોલ બની ગયો છે.
સદસ્યતા અભિયાન જ્યારથી શરૂ થયું ત્યારથી જ ભાજપના નેતાઓ મ્મતે જાણે શરદર્દ બની ગયું ચ્હે ટાર્ગેટ પૂરા કરવાના ચક્કરમાં શુનું શું કરી નાખ્યું છે અગાઉ પણ આવા ઘણા ઘપલા સામે આવી ચૂક્યા છે