ખ્યાતિ હોસ્પિટલમાં બેના મોત : નીતિન પટેલ પહોંચ્યા હોસ્પિટલ, ડાયરેક્ટર અને ચેરમેન સહિતના તબીબો ભૂગર્ભમાં !

khyati hospital

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોતને લઈને પરિવારજનો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો. પરિવારજનોના આક્ષેપ છે કે, હોસ્પિટલ તંત્રે પૂર્વ જાણ કર્યા વિના એન્જિયોપ્લાસ્ટી કરીને દર્દીઓના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા, જેના કારણે તેમનું મૃત્યુ થયું.

આ બનાવને લઈ આરોગ્ય મંત્રીએ પણ સખ્ત કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ દરમિયાન હોસ્પિટલના ચેરમેન અને અન્ય જવાબદાર તબીબો ગુમનામ થઈ ગયા છે, અને હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

પરિવારજનોના આક્ષેપો અંગે હજુ સુધી હોસ્પિટલ તંત્રે ખંડન જારી કર્યું નથી. આ સાથે જ, સમગ્ર ઘટનાની માહિતી મેળવવા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા છે.

khyati hospital

હોસ્પિટલના સત્તાધીશો થયા ગાયબ

એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મૃત્યુના કથિત કૌભાંડ બાદ આખી ઘટના ચર્ચામાં છે. હોસ્પિટલના સત્તાધીશો, જેમા ડાયરેક્ટર અને ચેરમેનનો પણ સમાવેશ થાય છે, હાલ ગાયબ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રકરણમાં જવાબદાર ડૉક્ટર પ્રશાંત વજીરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને ખુલાસો થયો છે કે તેઓ અગાઉથી અલગ-અલગ પ્રસિદ્ધ હોસ્પિટલોમાં સારવાર પૂરી પાડતા હતા.

આ કથિત અનિયમિતતાઓ અને દર્દી મૃત્યુના આક્ષેપો બાદ પણ હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. વધુમાં, આ ઘટનાના પગલે ICUમાં સારવાર હેઠળના પાંચ દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, અને તેઓના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.

હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ગોપનીય બેઠક યોજાઈ છે, પરંતુ આ બેઠકમાં શું ચર્ચા થઈ રહી છે, તે અંગે કોઈ બહારથી જાણકારી મળી નથી.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા ખ્યાતિ હોસ્પિટલ

સોમવારે બે દર્દીઓના મૃત્યુના મામલે નોંધપાત્ર હોબાળો સર્જાયો હોવા છતાં, હોસ્પિટલ તરફથી કોઈ જવાબદારી લેવામાં ન આવતા આ મુદ્દો તીવ્ર બન્યો છે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા છે.

નીતિન પટેલ દ્વારા સમગ્ર પ્રકરણની વિગતો મેળવી, પરિસ્થિતિને સંભાળવા માટે તત્કાલ કાર્યवाही કરવાની માગણી કરવામાં આવી છે.

 

શું છે સમગ્ર બનાવ?

મહેસાણાના કડીમાં આયોજિત ફ્રી કેમ્પમાં 19 દર્દીઓને તપાસ બાદ વધુ સારવાર માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તમામ દર્દીઓને પરામર્શ વિના અને જાણ કર્યા વિના એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા.

આ ચિકિત્સા પ્રક્રિયા પછી, 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગીરધરભાઈ નામના બે દર્દીઓના મોત નિપજ્યા. આ ઉપરાંત, ICUમાં સારવાર હેઠળના અન્ય પાંચ દર્દીઓની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ પછી, પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને હોસ્પિટલની જવાબદારી અંગે સવાલો ઊઠાવવામાં આવ્યા છે.

પરિવારજનનો ગંભીર આરોપ

મૃતક દર્દીઓના પરિવારજનોનો આક્ષેપ છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં માં કાર્ડનો દુરૂપયોગ કરીને દર્દીઓની જાણ વિના સ્ટેન્ટ મૂકવામાં આવ્યા, માત્ર આર્થિક લાભ મેળવવા માટે આ કરવામાં આવ્યું હતું. આ કથિત બેદરકારી અને લાપરવાહીના કારણે તેમના प्रियજનોના જીવ ગયા, જેનાથી રોષિત પરિવારે હોસ્પિટલમાં તોડફોડ કરીને વિરોધ પ્રદર્શન કર્યો.

આરોગ્ય મંત્રી દ્વારા તપાસના આદેશ

આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે X પર પોસ્ટ કરીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મંત્રીએ તેમના સંદેશમાં લખ્યું, “અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે.”

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]