આણંદ જિલ્લામાં મંગળવારે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ હેઠળનો પુલ ધરાશાયી થયો. પુલ ધરાશાયી થવાને કારણે અનેક કામદારો કાટમાળ નીચે દટાયા હતા. ગુજરાતના આણંદ જિલ્લામાં મંગળવારે સાંજે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંધકામ સ્થળ પર કામચલાઉ માળખું તૂટી પડતાં એક કામદારનું મૃત્યુ થયું હતું,
પોલીસ અધિક્ષક (SP) ગૌરવ જસાણીએ જણાવ્યું કે, આ ઘટના વાસદ ગામમાં બની હતી. “પ્રારંભિક માહિતી સૂચવે છે કે ચાર મજૂરો કોંક્રિટ બ્લોક્સ વચ્ચે ફસાયા હતા, તેમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે. એક મજૂરનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું,
આણંદ પોલીસે જાણ કરતાં ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, “આજે સાંજે માહી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર ત્રણ મજૂરો ફસાયા હતા. ક્રેન્સ અને ખોદકામ મશીનોનો ઉપયોગ કરીને બચાવ કામગીરી ચાલી રહી છે. એક મજૂરને બચાવી લેવામાં આવ્યા છે.” અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.