શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો ઓર્ડર આપ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બનાસકાંઠામાં નકલી સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવવી શિક્ષકને બદલીનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે.
વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવનો નકલી હુકમ બનાવ્યો અને થરાદની ડુવા પ્રાથમિક શાળાના શિક્ષકને બદલીનો નકલી ઓર્ડરપણ આપી દીધો હતો . નકલી હુકમ સામે આવતા જ શિક્ષણ અધિકારીએ તાત્કાલિક પગલાં લીધા હતા. શિક્ષક બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે. હવે સવાલ એ થાય છે કે ગુજરાતમાં નકલી ટોલનાકા પકડાય ત્યાં સુધી સરકારને ખ્યાલ ન હોય અને વર્ષો સુધી ચાલે, અરે હમણાં હજુ નકલી આખી કોર્ટ પકડાઈ અને એ પણ જજ સાહેબ સાથે ત્યાં સુધી સરકાર ઊંઘી જડપાઈ અને હવે આ સચિવ પકડાયા આ ક્યારે બંધ થસે ગુજરાતમાં.