જામનગર ખાતે મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં થોડા દિવસો પહેલા પૂર આવ્યું હતું અને લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી હતી. આજે મામલતદાર કચેરીએ કાલાવડ વિસ્તાર મહાપ્રભુજીની બેઠક વિસ્તાર ના લોકો આવેદન પત્ર પાઠવ્યું હતું
અને તેઓએ લેખિતમાં આપેલ કે અમારા વિસ્તારમાં સરકારી અધિકારી આવીને સર્વે કરી ગયા હતા જેમાં વરસાદના કારણે અમારા ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે અમારા મકાનો પાણીમા ડૂબી ગયા હતા. તમામ ઘર વખરી અને માલ સમાન નષ્ટ પામેલ હોય તેમજ અનાજ કરીયાણું તમામ નષ્ટ પામેલ હોય. એ બાબતે ફોર્મ ભરવામાં આવેલ હતા. અને આજદિન સુધી પુરગ્રસ્ત લોકોને કોઈ પણ પ્રકારની સહાય ચુકવવામાં આવેલ આથી અમો -આપની ઓફિસ તથા અધિકારીઓનાં સંપર્ક કરતાં કહે છે કે તમારુ નામ અહી બોલતું નથી સરકારી અધિકારીઑ ફોર્મ અમારા વિસ્તારમાં આવીને ભરી ગયેલ હોય. અને હવે કહે છે કે તમારું નામ અહી બોલતું નથી આથી અમો ને પુરગ્રસ્તમાં ખૂબ મોટું નુકશાન થયેલ હોય જેથી અમોને ન્યાય આપવા અને ઘટતું કરવા વિનંતી છે.
ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આજદિન સુધી પુરગ્રસ્ત લોકોને કોઈ સહાય તો મળી નથી મુખ્ય મંત્રી અને સરકારે ખૂબ મોટા દાવા કર્યા હતા. જે તે સમયે પૂર આવ્યું હતું ત્યારે ત્યાર બાદ સર્વે પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ચોકાવનારી વાત એ સામે આવી રહી છે કે જે લોકોના ફોર્મ ભરેલ હતા તેઓને જ અધિકારીઓએ એવો જવાબ આપી રહ્યા છે કે તમારું નામ તો પુરગ્રસ્તની યાદીમાં ક્યાય બોલતું નથી એટ્લે શું અધિકારીઑ જામનગરના ગરીબ લોકોની મજાક ઉડાવી રહ્યા છે ?
આજે મોટી સંખ્યામાં પુરગ્રસ્ત લોકો મામલતદાર કચેરીએ પહોચ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે કેટલા સમયમાં લોકોને ન્યાય મળે છે.