સપા પ્રમુખ અખિલેશ યાદવનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ભાજપ દ્વારા મૈનપુરીથી સૈફઈ પરિવારના સંબંધીને ટિકિટ આપવા પાછળના કારણને લઈને અખિલેસ યાદવે કહ્યું કે જે પાર્ટી પરિવારવાદનો વિરોધ કરી રહી હતી તે તો રિસ્તેદાર વાદી પાર્ટી નિકડી.
મૈનપુરીની કરહાલ સીટથી ભાજપની ટિકિટની જાહેરાત બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ શુક્રવારે બરનહાલના દિહુલી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ પહેલા પરિવારવાદનો વિરોધ કરતી હતી, હવે તે કેવી રીતે રિસ્તેદારવાદી બની ગઈ છે. જ્યારે બીજેપીને કંઈ ન મળ્યું ત્યારે તેને કોઈ યુક્તિથી અનુજ યાદવને ટિકિટ આપવામાં આવી.
અખિલેશ યાદવે કહ્યું કે કરહાલનો નિર્ણય સપાની તરફેણમાં આવશે. લોકસભા ચૂંટણીની યાદ અપાવતા તેમણે કહ્યું કે ભાજપે કેટલું ખરાબ વર્તન કર્યું હતું, પરંતુ જ્યારે પરિણામ આવ્યા ત્યારે સપાએ જીત નોંધાવી હતી. આ વખતે તેજ પ્રતાપ યાદવ કરહાલ સીટથી જીતશે એટલું જ નહીં પરંતુ 2027ની ચૂંટણીમાં પણ કરહાલ સીટ પરથી સપા જીતશે.
ભાજપ દ્વારા મૈનપુરી ની કરહાલ સીટ પર સૈફઈ પરિવારના જ અનુજ યાદવને ટિકિટ આપવામાં આવી છે. એટ્લે કે હવે ત્યાં મુકાબલો યાદવ સામે યાદવ નો થસે આ વિષય ને લઈને અખિલેશ યાદવે પહેલું નિવેદન આપ્યું છે.