ગુજરાતના અમરેલી જિલ્લામાંથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. અહીં એક સિંહણએ ખેતમજૂરના માસૂમ પાંચ વર્ષના બાળકની હત્યા કરી નાખી.
વન વિભાગના અધિકારી જી.એલ.વાઘેલા એ જણાવ્યું હતું કે, જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં બાળક તેના ઘરની બહાર રમી રહ્યો હતો. તે જ સમયે એક સિંહણ ત્યાં આવી અને તેના પર હુમલો કર્યો.
બાળક ઘરની બહાર રમી રહ્યો હતો
ફોરેસ્ટ ઓફિસર જી.એલ.વાઘેલાએ મંગળવારે જણાવ્યું હતું કે જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં બાળક તેના ઘરની બહાર રમી રહ્યો હતો. તે જ સમયે એક સિંહણ ત્યાં આવી અને તે બાળક પર હુમલો કર્યો. બાદમાં સિહણ તે બાળકીને લઈને ક્યાંક ભાગી ગઈ હતી . ઘણી શોધખોળ બાદ સ્થાનિક લોકો અને વન વિભાગના અધિકારીઓને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
સિંહણની શોધખોળ ચાલુ છે
વનવિભાગ ના આધિકારી એ કહ્યું કે તેઓ તરત જ બાળકને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેનો જીવ બચાવી શક્ય નહીં કારણ કે બાળક પહેલા જ મરી ગયુ હતું. ભોગ બનનાર ખેત મજૂરનો પુત્ર હતો.
1990 થી 2020 દરમિયાન સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે
ઉલ્લેખનીય છે કે ગુજરાત એશિયાટીક સિંહોનું એકમાત્ર વસવાટ છે. જો વન વિભાગ દ્વારા કરવામાં આવેલી છેલ્લી વસ્તી ગણતરીનું માનીએ તો તેમની વસ્તી 1990માં 284 થી વધીને 2020 માં 674 થઈ ગઈ છે. વન વિભાગે જણાવ્યું છે કે લગભગ અડધા વાઘ સંરક્ષિત વિસ્તારોની બહાર ફેલાયેલા છે (નવ જિલ્લાઓ અને 13 વન વહીવટી વિભાગોમાં) તેમનો વિતરણ વિસ્તાર 2015માં 22,000 ચોરસ કિલોમીટરથી વધીને 2020માં 30,000 ચોરસ કિલોમીટર થઈ ગયો છે.